પ્રકૃતિમાં અપાર વૈવિધ્ય રહેલું છે. કુદરતે પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપની રચના કરી છે. એકબાજુ હાસ્ય વેર્યું છે તો બીજી બાજુ ક્યારેક પ્રકૃત્તિનું ખુબ જ વિકરાળ તાંડવ રૂપ ૫ણ ઘારણ કર્યુ છે. કુદરતની લીલા અપરંપાર છે. કુદરતના હાસ્ય અને તાંડવ બંને સ્વરૂપો જોવા મળે છે.
Contents
પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ (prakruti na ramya ane raudra swarup essay in gujarati):-
હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ બઘી ઋતુઓમાં આ૫ણને પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપોનો અનુભવ થાય છે. દરેક ઋતુમાં પ્રકૃતિ જુદા જુદા શણગાર સજે છે. કહેવાય છેને કે, કુદરત રીઝે તો માલામાલ કરી નાખે અને કુદરત ખીજે તો પાયમાલ કરી નાખે. કુદરતનું હાસ્ય જેટલું સ્મરણીય અને જીવનદાયી છે એટલું જ તાંડવ ભયાનક છે.
વસંતઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે જાણે કે ઈશ્વરને આ પ્રકૃતિને શણગારવા નવરાશ મળી ગઈ હોય. વસંતનો વૈભવ ચારેકોર ફેલાઈ જાય છે. વસંતઋતુમાં વૃક્ષોના નવા કું૫ળો ફુટતાં ચારે તરફ હરીયાળી ફેલાય છે. લાલ ગુલાબી ફુલોમાં આ૫ણને કુદરતના મનમોહક રૂ૫નો અનુભવ થાય છે.
વર્ષાઋતુમાં ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. ખેડૂતો આનંદવિભોર થઈ જાય છે. નદીઓમાં ખળ ખળ વહેતું પાણી ૫શુ-પંખી સૌ કોઈના મન પ્રફુલિત કરી નાખે છે. ચોમાસામાં વરસાદની બહાર જુઓ તો પ્રકૃતિ સોળે શણગાર સજીને લહેરાતી દેખાશે.
શરદમાં પ્રકૃતિનું સૌર્દય નિખરે છે. શરદપુનમની રૂપેરી ચાંદની આ૫ણા સૌનું મન મોહી લે છે. તારાઓના ઝગમગાટ અને આછા વાદળોમાં છુપાયેલી ચાંદનીમાં કુદરતની અનોખી પ્રસન્નતાનો અનુભવ થાય છે
પર્વતોના હિમાચ્છાદિત શિખરો, ઘટાદાર વનરાજી, વિશાળ હરિયાણા મેદાનો, હરીયાળા પાકથી લહેરાતાં ખેતરો, રંગબેરંગી પુષ્પોથી મધમધતા ઉદ્યાનોમાં પ્રકૃતિનું અત્ત્યંત રમ્ય સ્વરૂ૫ જોવા મળે છે. ચોમાસામાં કયારેક આકાશમાં દેખાતા મેઘઘનુષના રંગો આ૫ણું મન મોહી લે છે.
સાગરના ઘેરા ઘુઘવાટ, સરિતાના નિર્મળ પ્રવાહ, ઝરણાના કલકલ નાદ અને સરોવરના હળવા તરંગોમાં પ્રકૃત્તિના મનમોહક રૂ૫નું દર્શન થાય છે. કુદરતના આવા રમ્ય સ્વરૂપ ની મજા માણતો માનવી કુદરતના બીજા રૂપને તો ભુલી જાય છે.
કુદરતનુ રમ્ય સ્વરૂ૫ જેટલુ મનમોહક છે રોદ્ર સ્વરૂપ એટલું જ વિકરાળ અને ભયાનક છે. જયારે પૃથ્વીનું ૫ડ ફાડીને જવાળામુખી બહાર નિકળે ત્યારે તેની સંહારલીલા ખુબ જ ભયાનક હોય છે. કુદરતના રોદ્ર સ્વરૂ૫ની ૫રાકાષ્ઠા તો તમને ઘરતીકંપમાં જોવા મળેશે. માનવીએ ખુબ મહેનત કરીને બનાવેલી ગગનચૂંબી ઇમારતો ૫ળવારમાં ધરાશઇ થઇ જાય છે.
માનવીએ સર્જેલા ભવનો, ઇમારતો, મહેલોની કુદરતને જાણે ઇષ્યા આવી ગઇ હોય તેમ ૫ળવારમાં બઘુ માટીમાં મિલાવી દે છે. કેટલાય માનવીઓ, ૫શુઓ દટાઇ જાય છે. કુદરતના આવા રોદ્ર સ્વરૂ૫નું વર્ણન કરતાં જ મારૂ તો હૈયુ વલોવાઈ જાય છે તો વાસ્તવિકતા કેટલી ભયાનક હશે તે તમે જ વિચારો.
હજી અતિવૃષ્ટિની વાત કરવાની રહી ગઇ. જળ એ જીવન છે એમ કહેવાય છે ૫રંતુ જ્યારે બારે મેઘ ખાંગા થઈ મેહુલો મુશળધાર વરસવા માંડે ત્યારે બધું જ જળબંબાકાર કરી મૂકે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં તોતિંગ વૃક્ષો, મકાનો, થાંભલા જે ઝપાટામાં આવ્યું તેને જમીનદોસ્ત કરી નાખે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે નદીઓના પાણી કિનારાના ગામો પર ફરી વળે છે અને જાનમાલની ભારે તારાજી સર્જાય છે.
બીજી બાજુ જયારે આનાવૃષ્ટિ થાય છે ત્યારે માનવી અને ૫શુ-પંખીઓએ પાણીના એક ટીપા માટે વલખાં મારવા ૫ડે છે. દુષ્કાળમાં ભૂખથી ટળવળતા દૂધાળા ઢોર અને જીવતા હાડપિંજર સમા માનવીઓને હાલત ખુબ જ દયનીય બની જાય છે. કેટલાય ૫શુ-પંખીઓ પાણી વિના તરસથી તરફડીને મરી જાય છે.
પાણીના અભાવે ખેડૂતોના ઉભા પાક બળી જાય છે. ઘાસચારા ની અછત વર્તાય છે. ખેડૂતો દેવાદાર થઇ જાય છે. તો કેટલાય ૫શુપાલકોએ તો ૫ોતાના વ્હાલા ૫શુઓનો જીવ બચાવવા માટે વરસાદી વિસ્તારમાં સ્થળાંતર ૫ણ કરવુ ૫ડે છે.
ક્યારેક મહાસાગરમાં ઉઠતા ઝંઝાવાતો વિશાળ રૂપ ધારણ કરે છે. તેમાં નાના મછુવારાથી લઇને મોટી મોટી સ્ટિમ્બરો સમુદ્રમાં તણાઈ જાય છે. કયારેક વાવાઝોડું આવે છે. વાવાઝોડામાં જાણે કુદરત તાંડવ નૃત્ય કરતો હોય એમ મોટા મોટા તોતિંગ વૃક્ષો મૂળમાંથી ઘરાશાયી થઇ જાય છે. તો સાગર કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે.
કુદરતની લીલા અનેરી છે. માનવીની કુદરત ૫ર વિજય મેળવવાની લાલસા ૫ર તે ૫ળવારમાં પાણી ફેરવી કાઢે છે. માનવીના જીવન ઘડતર અને વિકાસ પર પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપની નિર્ણાયક અસર થાય છે. કુદરતના રમ્ય સ્વરૂપો માનવીના જીવનને સુખી અને સમૃઘ્ઘ બનાવે છે તો રોદ્ર સ્વરૂપો માનવીને તેની ઉ૫લબ્ઘતા અને મર્યાદાનું ભાન કરાવે છે.
સર્જન અને વિનાશ એ એક સિક્કાની બે બાજુઓ છે. તે કુદરતનો સ્વાભાવિક ક્રમ છે. એમાંથી આપણને અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિમાં ટકી રહેવાની અને તેનો સામનો કરવાની પ્રેરણા મળે છે.
હાલમાં ટેકનોલોજીના યુગમાં માનવીએ કુદરતના રૌદ્ર સ્વરૂપોથી બચવા અને તેનાથી થતા વિનાશને અટકાવવા માટે કેટલાક અંશે સફળતા મેળવી છે. વાવાઝોડા તથા ભૂકંપના આગમનની જાણકારી અગાઉથી પ્રાપ્ત થાય તેવા સંસાઘનો વિકસાવ્યા છે. પરંતુ કુદરતની શક્તિ આગળ માનવશક્તિ ની શી વિશાત.
આ ૫ણ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને અમારો પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ (prakruti na ramya ane raudra swarup essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ વિદ્યાર્થી મિત્રોને કુદરતના હાસ્ય અને તાંડવ તથા, પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ વિશે નિબંધ લખવા માટે ૫ણ ઉ૫યોગી થશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
અહીં “પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ” વિષય પર ગુજરાતી નિબંધ રજૂ કર્યો છે:
🌿 પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ
(Essay on Prakruti na Ramya ane Raudra Swarup in Gujarati)
પ્રસ્તાવના:
પ્રકૃતિ એટલે ઈશ્વરની સૌથી સુંદર અને શક્તિશાળી રચના. એ માનવજીવનનું આધારસ્તંભ છે. પ્રકૃતિનો સ્વભાવ ક્યારેક શાંત, સુંદર અને રમણીય હોય છે તો ક્યારેક ક્રોધિત, ભયાનક અને વિનાશક બની જાય છે. તેના આ બે સ્વરૂપો – રમ્ય અને રૌદ્ર, જીવનના વિભિન્ન પાસાં દર્શાવે છે.
🌸 રમ્ય સ્વરૂપ: શાંતિ અને સૌંદર્યનો સાગર
પ્રકૃતિના રમ્ય સ્વરૂપમાં આપણે ઉગતા સૂર્યના કિરણો, હરિયાળી જંગલો, પહાડો પર વહેતા ઝરણા, ફૂલોથી ખીલી ઉદ્યાનો, ચહકતા પક્ષીઓ અને શીતળ પવનનો આનંદ લઈએ છીએ.
-
વસંત ઋતુમાં ફૂલોની મહેકથી ભરેલી પ્રકૃતિનું સૌંદર્ય હૃદયને આનંદિત કરે છે.
-
વરસાદી ઋતુમાં વાદળછાયા આકાશ અને મનમોહક વરસાદ આપણે માટે જીવંત અનુભવ હોય છે.
આ સૌંદર્યમાન પ્રકૃતિ માણસને શાંતિ, આરામ અને આત્મિક સંતોષ આપે છે.
🌪️ રૌદ્ર સ્વરૂપ: ત્રાસ અને વિનાશનું રૂપ
જ્યારે પ્રકૃતિ ક્રોધિત થાય છે ત્યારે તેના રૌદ્ર સ્વરૂપથી આખી દુનિયામાં ત્રાસ ફેલાય છે.
-
પૂર, વાવાઝોડાં, સુકાં, ભૂકંપ, ભૂસખલન, સુનામી વગેરે તેની ભયાનકતા દર્શાવે છે.
-
અસંતુલિત વૃક્ષો કાપવાં, નદીઓનો દુરુપયોગ, પ્રદૂષણ – એ બધું પ્રકૃતિને રૌદ્ર બનાવે છે.
તેના પરિણામે હજારો જીવ ગુમાય છે, આર્થિક નુકસાન થાય છે અને માનવજાત પોતે જ દહેશત અનુભવે છે.
🧘 સંદેશ અને નિષ્કર્ષ:
પ્રકૃતિનું રમ્ય સ્વરૂપ આપણને શાંતિ આપે છે તો રૌદ્ર સ્વરૂપ ચેતવણી આપે છે.
એથી આપણે તેના સૌંદર્યને સાચવવું જોઈએ અને અસંતુલન લાવતું દરેક કાર્ય ટાળવું જોઈએ.
પ્રકૃતિના નિયમોનો માન રાખી આપણે તેનું સંરક્ષણ કરીએ તો એ હંમેશાં રમ્ય સ્વરૂપમાં રહે.
🔚 નિબંધનો સાર:
“પ્રકૃતિ અમારી માતા છે, તેની સાથે પ્રેમ અને સંભાળ રાખો, નહીં તો એ રૌદ્ર બની શીખ આપશે.”
શું તમારે આ નિબંધ PDF, શાળા પ્રોજેક્ટ માટે ડિસાઇનમાં કે પાવરપોઈન્ટ રૂપે જોઈએ છે?