વરસાદ તો ધરતીનો સૌભાગ્ય છે સમગ્ર જીવ સૃષ્ટિનો આધાર છે. ૫ણ કોઇક વર્ષો એવા ૫ણ આવે કે ખૂબ જ ઓછો વરસાદ પડે અથવા સહેજે વરસાદ ન ૫ડે તેેેને અનાવૃષ્ટિ અથવા તો દુકાળ કહે છે. તો ચાલો આજે આ૫ણે અનાવૃષ્ટિ વિશે નિબંધ (dushkal nibandh in gujarati) લેખન કરીએ.
Contents
પ્રસ્તાવના :
વરસાદ સમગ્ર સજીવસૃષ્ટિનો મુખ્ય આધાર છે. જરૂર મુજબ થતો વરસાદ સજીવસૃષ્ટિ માટે અમૃત સમાન છે. પરંતુ જો ખૂબ જ વધારે કે ખૂબ જ ઓછો વરસાદ પડે તો અભિશાપ બની જાય છે. વરસાદની માત્રાને આધારે જોઈએ તો વરસાદનાં બે સ્વરૂપો જોવા મળે છે : અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. આજે આપણે અનાવૃષ્ટિ વિશે વિગતે જાણીશું.
અનાવૃષ્ટિ એટલે શું :
ખૂબ જ ઓછો વરસાદ પડે અથવા બિલકુલ વરસાદ ના પડે એવી પરિસ્થિતિને અનાવૃષ્ટિ કહે છે.અનાવૃષ્ટિને દુષ્કાળ કે દુકાળ પણ કહેવામાં આવે છે. વરસાદ ઓછો પડવાથી નદી-નાળા સુકાઈ જાય છે. પાણીની ખૂબ જ અછત વર્તાય છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોતા હોય છે. ગ્રીષ્મના તાપથી અકળાયેલા જીવો વરસાદની રાહ જોઈ જોઈને થાકી જાય છે.
એક ગઝલકારે દુષ્કાળની પરિસ્થિતિનું શબ્દ ચિત્ર આલેખતા લખ્યું છે:
“લાગી રહ્યું છે જાણે પ્રકૃતિએ મરી ગઈ છે;
આ ધરતી એની શોકસભા હોવી જોઈએ!”
જનજીવન ઉપર અસર :
દુષ્કાળની જનજીવન પર ખૂબ જ વિપરીત અસર થાય છે. વરસાદના અભાવે પાકનું ઉત્પાદન થતું નથી . જેના લીધે ખેડૂતો બેહાલ બને છે અને અનાજની અછત સર્જાય છે. નદી નાળાં સુકાઈ જાય છે. પાણી અને ઘાસચારાના અભાવે તેમજ પ્રખર તાપને લીધે ઘણા પશુ પક્ષીઓ મૃત્યુ પામે છે. ઘાસચારાની શોધમાં રહેતા પશુઓ હાલતા ચાલતા હાડપિંજર જેવા લાગે છે. વૃક્ષો સુકાઈ જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો પડી ભાગે છે. ઉપરાઉપરી દુષ્કાળ પડે તો ભૂખમરો અને બેરોજગારી જેવી સમસ્યાઓ ઉદભવે છે , જેથી લોકો રોજગારી અને જીવનનિર્વાહ માટે સ્થળાંતર કરી જતા હોય છે. ગરમીનું પ્રમાણ વધી જાય છે.
અગમચેતી અને ઉપાયો :
દુષ્કાળ જેવી કુદરતી આફતને રોકી શકાતી નથી ,પરંતુ ચોક્કસ વ્યવસ્થા અને પ્રયાસો થકી દુષ્કાળમાં જાન-માલને થતા નુકશાનને અટકાવી શકાય છે. અગાઉથી નદીઓના પાણીને ડેમમાં સંગ્રહ કરી રાખી નહેરો દ્વારા દુષ્કાળની પરિસ્થિતિમાં ઉપયોગમાં લઇ શકાય એવી વ્યવસ્થા કરી શકાય. લોકોની જરૂરિયાત મુજબ અનાજનો સંગ્રહ કરી રાખવો જોઈએ જે એવી પરિસ્થિતિમાં લોકોને રાહત સ્વરૂપે આપી શકાય.બેહાલ બનેલા ખેતમજૂરોને રાહત કાર્યો દ્વારા રોજગારી પૂરી પાડી શકાય.
ઉપસંહાર :
ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના લીધે દિવસે દિવસે જંગલોનું ઓછું થતું જતું પ્રમાણ જ દુષ્કાળ માટે જવાબદાર છે. ભવિષ્યમાં આવી કપરી પરિસ્થિતિ ના સર્જાય એ માટે આપણે વધુ વૃક્ષો વાવીને ‘ વૃક્ષો વાવો ,વરસાદ લાવો ‘ જેવી પંક્તિઓને સાર્થક કરી શકીશું.
લેખક:- જગદીશ જેપુ, શિક્ષક, ઘનાણા પ્રાથમિક શાળા Instagram ID – jagdish.jepu.33
આ ૫ણ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને અમારો અનાવૃષ્ટિ અથવા દુકાળ નિબંધ (anavrushti essay in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
અહીં “અનાવૃષ્ટિ” પર એક સરળ અને ઉપયોગી ગુજરાતી નિબંધ આપેલો છે:
પરિચય:
અનાવૃષ્ટિ એટલે વરસાદ ન થવો અથવા જરૂર કરતાં ઓછો વરસાદ થવો. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને આપણા ખેડૂત ભાઈઓનો મુખ્ય આધાર વરસાદ પર જ હોય છે. જ્યારે વરસાદ ન થાય ત્યારે ખેતી સૂકી રહી જાય છે અને ખેતરમાં પેદાશ થાય નહીં – જેને આપણે “અનાવૃષ્ટિ” કહીએ છીએ.
અનાવૃષ્ટિના કારણે:
અનાવૃષ્ટિનું મુખ્ય કારણ કુદરતી છે, પણ આજના યુગમાં માનવજાતના અમર્યાદિત વનવિનાશ અને પ્રદૂષણના કારણે પણ વરસાદના ચક્રમાં અવરોધ આવે છે. જંગલો કાપવાથી વાદળોનું સ્વાભાવિક ચક્ર તૂટી જાય છે અને વરસાદ ઓછો થવા લાગે છે.
અનાવૃષ્ટિના પ્રભાવ:
અનાવૃષ્ટિના પરિણામે ખેતી બરબાદ થાય છે. પશુપાલન પર પણ તેનો નકારાત્મક અસર થાય છે કારણ કે ઘાસ અને પાણી ન મળતાં પશુઓ પણ ભુખ્યા તરસ્યા રહે છે. લોકો પાણીને માટે હેરાન થાય છે અને ઘણીવાર પ્રવાસ કરીને દૂરથી પાણી લાવવું પડે છે. ક્યારેક તો આ સ્થિતિથી દુર્ભિક્ષ (ભુખમરો) જેવી પરિસ્થિતિ ઊભી થાય છે.
ઉપાયો અને નિષ્કર્ષ:
અનાવૃષ્ટિને અટકાવવા માટે વૃક્ષારોપણ કરવું, વરસાદના પાણીનો સંગ્રહ (રેન વોટર હાર્વેસ્ટિંગ) કરવું અને પાણીનો જથ્થાબંધ ઉપયોગ ટાળવો જોઈએ. ખેડૂતોએ સૂકા પદાર્થી પાક ઉગાડવાનો પ્રયાસ કરવો જોઈએ અને સરકાર દ્વારા પણ સહાય ઉપલબ્ધ હોવી જોઈએ.
અનાવૃષ્ટિ આપણને શીખવે છે કે કુદરત સાથે સંતુલન રાખવું કેટલું અગત્યનું છે. જો આપણે પાણી અને પર્યાવરણનો સાચો ઉપયોગ નહીં કરીએ, તો આવા સંકટો વારંવાર આવી શકે છે.
જો તમારે આ નિબંધ બાળકો માટે વધુ સરળ ભાષામાં કે અલગ પ્રમાણમાં shorter version જોઈએ, તો જણાવો!