પ્રામાણિકતા નિબંધ:- કહેવાય છે કે ”સ્વભાવ પ્રામાણિત હોવાથી કદાચ તમારા મિત્રો ઓછા બનશે ૫રંતુ જેટલા બનશે તે બઘા લાજવાબ બનશે.” ઉ૫રોકત પંકિત આ૫ણને જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ સમજાવે છે. ચાલો આજે આ૫ણે પ્રમાણિકતા નિબંધ લેખન કરીએ.
Contents
પ્રામાણિકતા નિબંધ (Pramanikta Essay in Gujarati)
“પ્રમાણિકતા” આ શીર્ષક જેટલું બોલવાથી અને સાંભળવાથી આપણા મન પર અસર કરી જાય છે. તે ખરેખર અદ્ભુત અને અવિશ્વસનીય છે. જ્યારે પણ આપણે પ્રામાણિકતા શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખરેખર કોઈ પણ વ્યક્તિ હોય પછી ભલેને તે ગમે તેટલો અપ્રામાણિક હોય, ભ્રષ્ટાચારી હોય, દુરાચારી હોય પણ એકવાર તો તેના મનમાં પ્રામાણિકતા લહેર દોડી જાય છે.
જેવી રીતે એક વિદ્યાર્થીને સૌથી વધુ મહેનત કરવાની અને વાંચવાની ઈચ્છા એના પરીક્ષાના પરિણામ ના દિવસે થાય છે, પછી આખું વર્ષ એ વાંચે અથવા તો ન વાંચે ૫રંતુ તે દિવસે તો એને એવું થાય છે કે હવે હું આગળના વર્ષે ખૂબ જ મહેનત કરીશ અને આગળ નો નંબર લાવવાનો પ્રયત્ન કરશ. આપણે જ્યારે પ્રામાણિકતાની વાતો કરીએ ત્યારે આપણને જે તે તો જીવનમાં હંમેશાં પ્રામાણિકતાના રસ્તા પર ચાલવું જોઈએ એવો વિચાર આવે જ છે.
પ્રામાણિકતા એટલે શું
પ્રામાણિકતા શાળામાં શીખવવામાં આવતી આદર્શ કેળવણી તો છે જ પરંતુ એનાથી વિશેષ પણ એ આપણને આપણા જીવનમાંથી મળતી અનુભવોની યાદીમાંથી વધુ મળે છે. જેમ ફૂલ ગમે તેટલું સુંદર હોય પણ એમાં સુગંધ ના હોય તો એની કિંમત ઓછી થઈ જાય છે, તે જ રીતે વ્યક્તિ ગમે તેટલો મોટો કેમ ના હોય પરંતુ પ્રામાણિકતા જો તેના જીવનમાં ન હોય તો તેમનું જીવન વ્યર્થ જ કહેવાય છે.
”પ્રામાણિકતા” વિશે તો શું કહીએ. ”ચા બગડી તો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું તો વર્ષ બગડયું, પરંતુ જો પ્રામાણિકતા બગડી તો જિંદગી બગડી .” પરંતુ આ વાક્ય આધુનિક યુગમાં સાર્થક થતું દેખાતું નથી. આજના ડીજીટલ યુગ ની વાત કરીએ તો પ્રામાણિકતા આજે ઇન્ટરનેટની ૪જી સ્પીડની જેમ ખૂબ જ ઝડપથી વિસરવા લાગી છે.
આજ ના યુગે માણસને લોભી બનાવી દીધો છે. આજે માણસ પોતાના દુઃખોથી જેટલો દુઃખી નથી એનાથી વધારે બીજાના સુખથી દુખી જાણાય છે. માણસ ધન, વૈભવ, વિલાસ ની આશામાં પોતાની પ્રામાણિકતા ભૂલી અપ્રામાણિક રસ્તા પર ચાલી જાય છે. જેનું નુકસાન એ તો ભોગવે છે પરંતુ એની સાથે એમનો પરિવાર કુટુંબ અને સમાજ પણ ભોગવે છે. અપ્રામાણિકતા થી મેળવેલું ધન, પ્રતિષ્ઠા, વૈભવ ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય છે. એ તેને બાહ્ય રીતે સુખી બતાવશે પણ આંતરિક રીતે તો એને દુઃખી જ કરતી હોય છે.
આજે આપણે જોઈએ તો અપ્રામાણિકતા આવવાનું સૌથી મોટું કારણ માણસોમાં એકબીજામાં વધી રહેલી ઈર્ષા, અદેખાઈ ની ભાવના જ માણસને અપ્રામાણિકતા તરફ જવા માટે પ્રોત્સાહિત કરતી હોય છે. તેથી માણસે હંમેશા ”સંતોષી નર સદા સુખી” ના મંત્ર સાથે ચાલવું જોઈએ. એવું નથી હોતું કે માણસે પ્રમાણિકતા ના બનવુ હોય પરંતુ તેના પર હાવિ થયેલો લોભ, ઇષ્યા તેને અપ્રામાણિકતા તરફ જવા માટે દોરી જાય છે.
પ્રામાણિકતાની બીજી પરિભાષાની વાત કરીએ તો પ્રામાણિકતા એ વ્યક્તિના સ્વભાવ અને તેના મનના વિચારો પર ઘણો આધાર રાખે છે. પ્રામાણિકતા એટલે ફક્ત વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની જ પ્રામાણિકતા એવું નથી, પરંતુ વ્યક્તિની કુદરતના અન્ય પ્રાણીઓ પ્રત્યે પણ હોવી જોઈએ જે એમના વિચાર અને સ્વભાવ પર આધારિત હોય છે.
પ્રામાણિકતા એ એક એવો રસ્તો છે કે એના પર કોઈ પણ પ્રકારની ભીડ હોતી નથી. પરંતુ એ રસ્તો જેટલો સરળ દેખાય એટલો સરળ હોતો નથી. તેના પર વ્યક્તિની સહનશીલતા, નૈતિકતા ની પરીક્ષા થાય છે. જેવી રીતે જે તાળું હથોડા મારવાથી પણ નથી તૂટતું એ તાળું એક નાની સરખી ચાવીથી ખૂલી જાય છે, કારણ કે એ ચાવી તાળાના હૃદયમાં જઈને તેને સ્પર્શ કરે છે, તેવી જ રીતે વ્યક્તિ પણ ગમે તેટલો ધનવાન, વૈભવશાળી હશે પણ તે ત્યારે જ બીજાના હૃદયમાં તાળું ખોલી શકશે જ્યારે તેની પાસે પ્રામાણિકતાની ચાવી હશે.
પ્રામાણિક બનવું અને પ્રામાણિકતા દાખવવી વ્યક્તિમાં રહેલું એક આંતરિક તત્વ છે. અંતમાં એટલું જ કહેવું છે કે ”આપણી પ્રામાણિકતા એ કોઈના પર કરેલો ઉપકાર નથી પરંતુ આપણે પોતે જ પોતાને આપેલા એક ઉપહાર છે.”
પ્રામાણિકતા સુવિચાર (Pramanikta Suvichar, Quotes, in Gujarati) :-
- Honesty is the best policy .. એટલે કે પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે.
- જો પ્રામાણિકતા અને સત્યતા મારા તરફ ચાલતા હશે તો પ્રભુનો પ્રેમ પણ સહજ મારા તરફ આવતો હશે.
- ‘પ્રામાણિકતા ખુબ કિમતી ભેટ છે, ચીલાચાલુ વ્યકિત પાસે તેની અપેક્ષા રાખશો નહિ.
- નામ અને કીર્તિ ની અપેક્ષા સાથે અપાયેલા હજારો રૂપિયા કરતા વધારે પ્રામાણિક અને સ્નેહ પૂર્વક અપાયેલા મુઠ્ઠીભર ચોખા વધારે મહાન છે.
પ્રામાણિકતા નિબંધના લેખક:-પ્રતિકકુમાર ગૌતમભાઇ ૫ટેલ, શિક્ષક, કેન્દ્ર શાળા ઘોડચીત, તા.સોનગઢ, જિ.તાપી
આ ૫ણ વાંચો:-
હુ આશા રાખુ છું કે તમને અમારો પ્રામાણિકતા નિબંધ અથવા જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ પર નિબંધ (The Importance of Honesty in life Essay in Gujarati🙂 આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ વિર્ધાર્થી મિત્રોને પ્રામાણિકતા એટલે શું,જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ તથા પ્રામાણિકતા જીવનનું અમૃત નિબંધ લેખન માટે પણ ઉપયોગી બનશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
પ્રામાણિકતા – નિબંધ
પરિચય:
પ્રામાણિકતા એ મનુષ્યના પાત્રતા, ધર્મ, અને ઈમાનદારીનો અભિગમ છે. જીવનમાં દરેક કાર્યની અસલતા અને પ્રમાણિતતા જ મહત્વપૂર્ણ છે. પ્રામાણિકતા એ જીવનમાં સચ્ચાઈ અને નિષ્ઠાનું પ્રતિક છે. એ વ્યક્તિના મન, દિમાગ અને વર્તનને સ્પષ્ટ કરે છે. આમ, પ્રામાણિકતા એ માણસના એ מוסક અને ઉદાત્ત ગુણ છે, જે તેને સમાજમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પ્રામાણિકતાનું મહત્ત્વ:
પ્રામાણિકતા એ મનુષ્યના વર્તનની એક મહત્વપૂર્ણ ધારા છે. આ ગુણ એ લોકો વચ્ચે ભરોસો બનાવે છે. જ્યારે માણસ પ્રામાણિક હોય છે, ત્યારે તે પોતાના વિચારો, વચનો અને કરણીઓમાં સચોટ હોય છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં સત્ય કહે છે અને સત્યને આગળ વધારવા માટે પ્રયત્નશીલ રહે છે.
-
સામાજિક દૃષ્ટિએ:
સમાજમાં એક પ્રામાણિક વ્યક્તિને માન અને સન્માન મળે છે. લોકો એવી વ્યક્તિને શ્રેષ્ઠ માનતા છે જે પોતાના કૃત્યોમાં સત્યતા અને દયાળુતા દાખવે છે. પ્રામાણિક વ્યક્તિના વર્તનને અનુસરીને અન્ય લોકો પણ તેમાંથી પ્રેરણા મેળવી શકે છે. -
વ્યક્તિગત વિકાસ:
વ્યક્તિની જાતીય પ્રામાણિકતા તેના વ્યક્તિત્વને ઉજાગર કરે છે. પ્રામાણિક વ્યક્તિ માટે કોઈપણ પરિસ્થિતિમાં સરળતાથી સાચું બોલવું અને સાચું કરવું સરળ હોય છે. તે બિનમુલ્ય અને કૃષ્ણસાક્ષી ન હોવા છતાં પોતાના કાર્યમાં નિષ્ઠા અને શ્રદ્ધા રાખે છે. આ રીતે, પ્રામાણિકતા વ્યક્તિના વ્યક્તિત્વમાં શ્રેષ્ઠતા લાવે છે. -
વ્યવસાયિક દૃષ્ટિએ:
વ્યવસાયમાં પણ પ્રામાણિકતા અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે કર્મચારી અથવા વેપારી પોતાના કાર્યમાં પ્રામાણિક હોય છે, ત્યારે તે ગતિશીલ બની શકે છે અને પોતાના સહયોગીઓ અને ગ્રાહકો સાથે શ્રેષ્ઠ સંબંધો ઉભા કરી શકે છે. પ્રામાણિકતા સાથે, માનવતા અને ધંધાની દિશામાં સુખમય અને સફળ જીવનની શક્યતાઓ વધે છે.
પ્રામાણિકતાના ફાયદા:
-
પ્રતિષ્ઠા અને સન્માન:
વ્યક્તિ જેવા વ્યક્તિને સત્ય બોલતા અને કાયદેસર અથવા નૈતિક રીતે યોગ્ય કાર્ય કરતા લોકોમાં પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત થાય છે. -
આધાર:
પ્રામાણિક લોકો એ વિશ્વસનીયતા ધરાવે છે. જેવું તે કહે છે, તેમ જ કરે છે. આ કારણે, તેમના પર વિશ્વાસ રાખવો સરળ છે, અને એ અન્ય લોકો માટે મકાબલાનો આધાર બની શકે છે. -
શાંતિ અને સંતુષ્ટિ:
જે વ્યક્તિ પ્રામાણિક રહે છે, તે જીવનમાં પોતાના કાર્યો અને નિર્ણયોથી પ્રસન્ન અને શાંતિ અનુભવે છે. માનસિક શાંતિ માટે, પ્રામાણિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. -
આવતી મુશ્કેલીઓ પર પાર પડે છે:
જ્યારે માણસના પ્રયત્નો અને કરણીઓમાં નમ્રતા અને સત્યતા હોય છે, તો તેને જીવનના દરેક પડકારને સરળતાથી હલ કરવાનો માર્ગ મળી શકે છે.
પ્રામાણિકતા અને સકારાત્મક દૃષ્ટિ:
પ્રામાણિકતા એ માત્ર એક ગુણ નથી, પરંતુ એ એ વ્યક્તિના જીવનનો એક પ્રકારનો દ્રષ્ટિકોણ છે. તેનો અર્થ એ છે કે માણસ પોતાના સત્ય, ખોટ, હક્ક અને પાત્રતા માટે સંપૂર્ણ જવાબદારી રાખે છે. જ્યારે કોઈ મનુષ્ય એ દૃષ્ટિથી વર્તે છે, તો તે પોતે, તેના પરિસ્થિતિ, અને સમાજ માટે શ્રેષ્ઠ પરિણામ લાવવાનો પ્રયત્ન કરે છે.
પ્રામાણિકતાની ખોટ:
જ્યારે મનુષ્ય સત્ય, ઈમાનદારી અને શ્રદ્ધાની આદર્શોને અવગણવા લાગે છે, ત્યારે તે જીવનમાં ભ્રષ્ટાચાર, ખોટી નિવૃત્તિ અને ખોટા દેખાવના માર્ગ પર જઈ શકે છે. આથી, પ્રામાણિકતાની ખોટને આકર્ષવાથી સમગ્ર જીવનમાં ખોટી પરિસ્થિતિઓ અને અસ્થિરતા સર્જાઈ શકે છે.
સમાપ્તિ:
પ્રામાણિકતા એ સત્ય, શ્રદ્ધા અને કર્મમાં નિષ્ઠાનો પ્રતિક છે. આ ગુણના દ્વારા મનુષ્ય જીવનમાં સદભાવના, સન્માન અને એક સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે. પ્રામાણિકતા જ આપણને એક સારા માણસ, શ્રેષ્ઠ કર્મકાંરી, અને એક નૈતિક શ્રેષ્ઠ વ્યક્તિત્વ બનાવે છે. જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રામાણિકતા રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે, અને તેને અમલમાં લાવવાથી વ્યક્તિ પોતે, તેના પરિવાર અને સમાજ માટે શ્રેષ્ઠ બનતો છે.
શું તમે આ વિડીયો, પીડીએફ, પોસ્ટર, અથવા ભાષણ તરીકે માંગો છો?