હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ભગવાન વિષ્ણુના અવતાર પછી રાવણને દૈવી શક્તિ મળી. જેના કારણે રાવણે પોતાનો મોક્ષ મેળવવા માટે શિવજી પાસે વરદાન માંગ્યું, અને કહયુ કે તેને મોક્ષનો કોઈ ઉપાય બતાવો. ત્યારે શિવજીએ રામના હાથે મોક્ષ પ્રદાન કરવા માટે એક લીલા કરી. શિવની લીલા અનુસાર, રાવણને મોક્ષ મળે તે માટે તેમણે હનુમાન તરીકે જન્મ લીધો હતો. આ કામમાં રામજીનો સાથ આપવા સ્વયં શિવના અવતાર હનુમાનજી આવ્યા હતા, જે કાયમ માટે અમર થઈ ગયા. રાવણના વરદાનની સાથે તેને મોક્ષ પણ અપાવ્યો.
મહત્વની માહિતી
Contents
- 1 હનુમાન જયંતી કે જન્મોત્સવ:-
- 2 ગંધમાદન પર્વત ક્યાં આવેલો છે?
- 3 પવનના પુત્ર હનુમાનના જન્મ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ-
- 4 હનુમાન જયંતી કાર્યક્રમ:-
- 5 હનુમાન જયંતી વિશે નિબંધ
- 6 પ્રસ્તાવના:-
- 7 હનુમાન જયંતી – શક્તિ મેળવવાનો તહેવાર
- 8 આ તહેવાર આપણને શું શીખવે છે?
- 9 નિષ્કર્ષ
- 10 🙏 હનુમાન જયંતી 2025 | Hanuman Jayanti Essay In Gujarati
- 11 📅 હનુમાન જયંતી 2025 ક્યારે છે?
- 12 🧾 હનુમાન જયંતીનું મહત્વ:
- 13 🔱 હનુમાનજી વિશે ખાસ વાતો:
- 14 🙏 હનુમાન જયંતીની ઉજવણી કેવી રીતે થાય છે?
- 15 🌺 હનુમાન જયંતીનો સંદેશ:
- 16 📝 નિબંધ માટે યોગ્ય ટૂંકસાર:
હનુમાન જયંતી કે જન્મોત્સવ:-
હનુમાનજીના જન્મદિવસને જન્મોત્સવ કહેવો જોઈએ કે જયંતી, તેના અનેક ચર્ચા થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે આ દિવસને જન્મજયંતિ નહીં પણ જન્મોત્સવ કહેવું વઘુ યોગ્ય છે. જ્યોતિષીઓ કહયા અનુંસાર જન્મજયંતિ અને જન્મોત્સવ વચ્ચે તફાવત છે. જયંતી શબ્દ એવી વ્યક્તિ માટે વપરાય છે જે દુનિયામાં નથી. પરંતુ પવનપુત્ર હનુમાનજી માટે આ લાગુ પડતું નથી. કારણ કે હનુમાનજીને કલિયુગના જીવંત અને જાગૃત દેવતા માનવામાં આવે છે. તુલસીદાસજીએ પણ કલિયુગમાં હનુમાનજીની હાજરીનો ઉલ્લેખ કર્યો છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ પાસેથી અમરત્વનું વરદાન મેળવ્યા બાદ હનુમાનજીએ ગંધમાદન પર્વત પર પોતાનો નિવાસ કર્યો હતો. કહેવાય છે કે ધર્મના રક્ષક બજરંગબલી કળિયુગમાં આ સ્થાનેથી નિવાસ કરે છે. જ્યોતિષીઓના મતે આ દિવસને જન્મજયંતિ નહીં પરંતુ જન્મોત્સવ કહેવું યોગ્ય રહેશે.
ગંધમાદન પર્વત ક્યાં આવેલો છે?
શાસ્ત્રો અનુસાર કૈલાસ પર્વતના ઉત્તમમાં ગંધમાદન પર્વત આવેલો છે. મહર્ષિ કશ્યપે આ પર્વત પર જ તપસ્યા કરી હતી.
પવનના પુત્ર હનુમાનના જન્મ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ-
એક દંતકથા અનુસાર, કેસરી રાજ સાથે લગ્ન કર્યા પછી, માતા અંજનાને ઘણા વર્ષો સુધી પુત્ર સુખ પ્રાપ્ત ન થયુ. તેથી તેેઓ મંતગ મુનિ પાસે ગયા અને પુત્ર પ્રાપ્તિનો માર્ગ પૂછવા લાગ્યા. ઋષિએ તેમને કહ્યું કે વૃષભચલ પર્વત પર ભગવાન વેંકટેશ્વરની પૂજા કરો. પછી ગંગાના કિનારે સ્નાન કરીને પવનદેવને પ્રસન્ન કરો.તમારી મનોકામના પૂર્ણ થશે. માતા અંજના વાયુદેવને પ્રસન્ન કરવામાં સફળ રહયા. વાયુ દેવે તેમને દર્શન આપી આશીર્વાદ આપ્યા કે તેમનું પોતાનું સ્વરૂપ તેમના પુત્રના રૂપમાં અવતરશે. આ રીતે માતા અંજનાએ હનુમાનજીના રૂપમાં પુત્રને જન્મ આપ્યો. તેથી જ હનુમાન પવનપુત્ર, કેસરીનંદન વગેરે નામોથી ઓળખાય છે.
હનુમાન જયંતી કાર્યક્રમ:-
હનુમાન જયંતી પર લોકો હનુમાન મંદિરે દર્શન માટે જાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે અને ખૂબ જ આતુરતા અને ઉત્સાહથી સમર્પિત થઈને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે હનુંમાનજી બાળ બ્રહ્મચારી હતા, તેથી તેમને જનોઈ પણ પહેરાવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદીનું વર્ક ચઢાવવાની પરંપરા છે. એવું કહેવાય છે કે એકવાર હનુમાનજીએ ભગવાન શ્રરામના લાંબા આયુષ્ય માટે પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું હતું અને તેથી ભક્તો હનુંમાનજીને સિંદૂર ચઢાવવાનું વઘુ પસંદ કરે છે જેને ચોલા કહેવામાં આવે છે. સાંજે દક્ષિણાભિમુખ હનુમાન મૂર્તિની સામે મંત્રનો જાપ કરવાનું ખૂબ જ મહત્વ છે. હનુમાન જયંતિ પર રામચરિતમાનસનો સુંદરકાંડ વાંચવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. આ દિવસે તમામ મંદિરોમાં તુલસીદાસના રામચરિતમાનસ અને હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે. હનુંમાનજીના મંદિરો ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તમિલનાડુ અને કેરળમાં, હનુમાન જયંતિ માર્ગશીર્ષ મહિનાના અમાવસના દિવસે અને ઓરિસ્સામાં વૈશાખ મહિનાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આ તહેવાર ચૈત્ર પૂર્ણિમાથી લઈને વૈશાખ મહિનાની 10મા દિવસમી તારીખ સુધી ઉજવવામાં આવે છે.
હનુમાન જયંતી વિશે નિબંધ
પ્રસ્તાવના:-
ભગવાન હનુમાન એક પવિત્ર અને સૌથી આદરણીય હિન્દુ ભગવાન છે જેમના મંદિરો સામાન્ય રીતે દેશના દરેક નાના-મોટા સ્થળોએ જોવા મળે છે. હનુમાન જયંતિએ ભગવાન હનુમાનના જન્મોત્સવની ઉજવણીનો પ્રસંગ છે તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. દેશ-વિદેશમાં બધા હિન્દુઓ ભગવાન હનુમાન જયંતીની ઉજવણી કરે છે.
હનુમાન જયંતી – શક્તિ મેળવવાનો તહેવાર
ભગવાન હનુમાન તેમની કુશળતા અને બુદ્ધિમત્તા માટે જાણીતા છે. તેમણે એકલા હાથે આખી લંકા બાળી નાખી હતી.મહાશક્તિશાળી રાવણ પણ તેમને રોકી શક્યો નહીં. તેઓ ખૂબ જ શક્તિશાળી તેમજ શાંત અને નમ્ર છે.
હિંદુ ધાર્મિક ગ્રંથો અને હનુમાન ચાલીસામાં ઉલ્લેખ મુજબ હનુમાનજી તેમના ઉપાસકોને પરાક્રમ, હિંમત અને જીવનશક્તિ આપે છે. તેઓ પોતાના ભક્તોના જીવનમાં આવતા અવરોધો દૂર કરે છે અને સુખ અને સંતોષ લાવે છે.
એવા લોકો કે જેઓ તેમના રોજિંદા જીવનમાં ખૂબ જ વ્યસ્ત છે અને દરરોજ હનુમાનજીની પૂજા કરવામાં અસમર્થ છે; હનુમાન જયંતી તેમના માટે તેમની બધી ભૂલોની ક્ષમા માંગીને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ ઉત્સવ છે.
આ તહેવાર આપણને શું શીખવે છે?
હનુમાન જયંતી એ ભગવાન હનુમાન સાથે આધ્યાત્મિક રીતે જોડાવા અને તેમના ગુણોને યાદ કરવાનો પ્રસંગ છે. અપાર શક્તિ હોવા છતાં તેઓ નદી જેવો શાંત હતા. તેમને પોતાની આવડત પર ક્યારેય અભિમાન થયુ નથી અને તેમની શકિતનો ઉપયોગ હંમેશા બીજાના ફાયદા માટે જ કર્યો હતો. આ તહેવાર આપણને ભગવાન હનુમાનના રૂ૫માં આધ્યાત્મિક અને માનસિક રીતે વિકાસ કરવાનું શીખવે છે. તે આપણને ભગવાન હનુમાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ અને શાંત રહેવાનું શીખવે છે અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોઘવાનુ શિખવે છે.
નિષ્કર્ષ
હનુમાન જયંતી એ એક મુખ્ય હિન્દુ તહેવાર છે જે અનાદિ કાળથી ઉજવવામાં આવે છે અને અનંતકાળ સુધી ઉજવવામાં આવશે.
હું આશા રાખું છું કે તમને અમારો હનુમાન જયંતી નિબંધ, મહત્વ (Hanuman jayanti)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જીવનચરિત્ર, જોવાલાયક સ્થળો વિશે માહિતી, ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.
અહીં હનુમાન જયંતી 2025 વિશે વિગતવાર નિબંધ, તેનું મહત્વ અને તારીખ સાથેની માહિતી ગુજરાતી ભાષામાં રજૂ છે:
🙏 હનુમાન જયંતી 2025 | Hanuman Jayanti Essay In Gujarati
📅 હનુમાન જયંતી 2025 ક્યારે છે?
તારીખ: 12 એપ્રિલ 2025 (શનિવાર)
દિન: ચૈત્ર સુદ પુનમ (પૂનમના દિવસે ઉજવાય છે)
🧾 હનુમાન જયંતીનું મહત્વ:
હનુમાન જયંતી એ ભગવાન હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવાય છે. હનુમાનજીને ભક્તિ, બળ, નિષ્ઠા અને શૂરવીરતા માટે ઓળખવામાં આવે છે. તેઓ ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને રામાયણના યુદ્ધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
🔱 હનુમાનજી વિશે ખાસ વાતો:
-
પવનદેવના પુત્ર હોવાને કારણે તેમને પવનપુત્ર કહેવામાં આવે છે.
-
તેઓ અસ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા છે.
-
તેમના જીવનમાંથી આપણને શીખ મળે છે કે ભક્તિ, બળ અને સમર્પણથી કોઈ પણ કાર્ય શક્ય બને છે.
🙏 હનુમાન જયંતીની ઉજવણી કેવી રીતે થાય છે?
-
મંદિરોમાં વિશેષ પૂજા, હનુમાન ચાલીસા પઠન અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે.
-
ભક્તો ઉપવાસ રાખે છે અને રામભક્તિમાં લીન રહે છે.
-
રામાયણ પઠન, કીર્તન અને યજ્ઞ કરાય છે.
-
કેટલાક સ્થળોએ ભવ્ય રથયાત્રા પણ યોજાય છે.
🌺 હનુમાન જયંતીનો સંદેશ:
-
ભક્તિ અને નમ્રતા સાથેનું જીવન સફળ બનાવે છે.
-
હનુમાનજી આપણને દુઃખમાંથી મુક્તિ અપાવે છે અને ભય દૂર કરે છે.
-
તેમના જેવો નિષ્ઠાવાન ભક્ત બનવો એ જીવનનું સાચું ધ્યેય છે.
📝 નિબંધ માટે યોગ્ય ટૂંકસાર:
હનુમાન જયંતી હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવાતી એક પાવન તહેવાર છે. આ દિવસે ભક્તો ઉપવાસ, પૂજા-પાઠ કરે છે. હનુમાનજી એક શક્તિશાળી અને ભક્તિમય દેવ છે. તેમના જીવનમાંથી ભક્તિ, બળ અને સમર્પણની શીખ મળે છે. તેઓને યાદ કરવાથી દરેક દુઃખ અને ભય દૂર થાય છે.
📌 જો તમારે આ નિબંધ PDF, શાળાના પ્રોજેક્ટ માટે અથવા પોઇન્ટવાઈઝ રચના સ્વરૂપે જોઈતો હોય તો જણાવો, હું તૈયાર કરી આપીશ.
જય શ્રી રામ!