હોળીનો તહેવાર હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતા એક મુખ્ય તહેવાર છે. હોળી એક એવો ઉત્સવ છે જે આખા ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક ભારતીય આનંદ અને ઉમંગ સાથે હોળીનો તહેવાર ઉજવે છે. હોળી કેવી રીતે ઉજવવી, હોળીનું શું મહત્વ છે, હોળીકા કોણ હતી, અમે તમને આ પોસ્ટ દ્વારા બધી માહિતી આપીશું. આ સાથે, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને હોળી પર નિબંધ (holi nibandh gujarati ) લખવા માટે ૫ણ આ લેખ મદદરૂ૫ થશે.
Contents
હોળી પર નિબંધ (holi nibandh gujarati )
આ દિવસે, બધા લોકો તેમના બધા દુ:ખો ભૂલીની એક બીજાને ભેટી પડે છે. હોળીનો રંગ આપણા બધાને એકબીજા સાથે જોડે છે અને સંબંધોમાં પ્રેમ અને સ્નેહના રંગ ભરે છે. આપણી ભારતીય સંસ્કૃતિનો સૌથી સુંદર રંગ ‘‘હોળીનો તહેવાર રંગ” માનવામાં આવે છે. બધા તહેવારોની જેમ હોળીના તહેવારની પાછળ પણ ઘણી માન્યતાઓ છે.
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. લોકો આ તહેવાર ખુબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે. ઘરોમાં તમામ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. હોળીનો સમાવેશ હિન્દુ ઘર્મના પ્રમુખ તહેવામાં થાય છે. ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં હોળી મુખ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ત્યાંની એક કહેવત છે કે ”દિવાળી તો અટે કટે ૫ણ હોળી તો ઘરે” એટલે કે રાજસ્થાની વ્યકિત દિવાળીનો તહેવાર ગમે ત્યાં મનાવે ૫ણ હોળી નો તહેવાર તો માદરે વતનમાં જ મનાવે ભલે તો કેટલેય દુર કેમ ન રહેતા હોય. હોળી તહેવારમાં રાજસ્થાનમાં ફાગ (એક પ્રકારનું ગીત) નું અનેરુ મહત્વ હોય છે. લોકો ઢોલ-નગારા સાથે નાચતા નાચતા ફાગ ગાવે છે. હોળી માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ તમામ સમુદાયના લોકો દ્વારા પણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હોળીમાં લોકો એકબીજાને મળીને ગળે લગાવે છે અને એકબીજાને રંગ લગાવે છે. આ દિવસે આપણે ખાસ બનાવેલ ગુજિયા, પાપડ, હલવો વગેરે ખાઈએ છીએ.
હોળીના દિવસોમાં ઘૈરૈયાઓ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક દર વર્ષના નકકી કરેલ સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો પ્રગટાવેલ હોળીની પ્રવિત્ર મનથી પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, પ્રસાદી, ખજુર વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. દરેક વિસ્તારમાં હોળી ઉજવણીની રીતો અલગ અલગ હોય છે. ૫રંતુ દરેક લોકોની ભાવના એક જ હોય છે, કે હોળી પ્રગટાવી આ જગતમાંથી આસુરી તત્વોનો નાશ થાય અને દૈવી શક્તિઓની પુજા થાય.
હોળીનો ઇતિહાસ:-
હોળીનો તહેવાર ઉજવવા પાછળનો એક પ્રાચીન ઇતિહાસ છે. પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામનો દાનવોનો રાજા હતો. તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કોઇથી મરશે નહીં. આ વરદાનને કારણે તે અમર બની ગયો હતો. તેને મારવો એ લગભગ અસંભવ ૫ડકાર થઇ ગયો હતો. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ તણે હાહાકાર મચાવી દીધો. તેણે લોકોને ભગવાનનીની પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશ્યપને પ્રહલાદ નામનો એકપુત્ર હતો. તે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. આ બાબતથી હિરણ્યકશ્યપ ખુબ જ નારાજ હતો તેણે પ્રહ્લાદને એનકેન પ્રકારે પ્રલોભનો આપી તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા. પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી.. આથી નારાજ, હિરણ્યકશ્યપે પ્રહલાદને મારી નાખવાનો પ્લાન ઘડી કાઠયો. આ માટે હિરણ્યકશ્યપે તેની બહેન હોલીકાની મદદ લીધી. કારણ કે હોળીકાને વરદાન મળ્યું હતુ તે વરદાનમાં મળેલી ઓઢણી ધારણ કરે ત્યારે તેને અગ્નિ પણ બાળી શકે નહીં.. હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિ૫રિક્ષા આ૫વાનો આદેશ કર્યો. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને તે હોલિકાનાં ખોળામાં બેસી ગયો.ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી વરદાનવાળી ઓઢણી હોલિકાનાં માથા પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ ગઇ, આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ જીવિત બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના આ હોળી ઉત્સવનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
આ ૫ણ વાંચો:- મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે શુ છે તે પાછળનો ઇતિહાસ
ત્યારપછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે ” હોળી ”
આ પૌરાણિક કથા કહે છે કે અચ્છાઇનો હંમેશા બુરાઇ ૫ર વિજય થાય છે. આજે પણ દરેક લોકો લાકડા, ઘાસ અને ગાયના છાણ હોળી બનાવી રાત્રે હોલિકા દહન કરે છે અને બીજા દિવસે દરેક જણ એકબીજાને અબીલ, ગુલાલ અને જુદા જુદા રંગો છાંટીને હોળી રમે છે. દર વર્ષે ફાગણ મહિનામાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવે છે તેમ તેમ આ૫ણો ઉત્સાહ પણ વધતો જાય છે. હોળી એ ભારતીય સંસ્કૃતિનું સાચું પ્રતીક છે, જેના રંગ વિવિધતામાં એકતાને પ્રતિબિંબિત કરે છે. લોકો એકબીજાને પ્રેમ પ્રદાન કરે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, લોક ગીતો ગવાય છે અને એકબીજાને મોં મીઠુ કરાવે છે.
ભારતમાં હોળીનો તહેવાર જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. આજે પણ વ્રજની હોળી એ આખા દેશ માટે આકર્ષણનું કેન્દ્ર છે. બરસાના અને નંદગામની લથમાર હોળી પણ ખૂબ જ પ્રખ્યાત છે. આમાં પુરુષો મહિલાઓ પર રંગ લગાવે છે અને મહિલાઓ લાકડીઓ અને ચાબુક વડે બનાવેલા કપડાંથી પુરુષોને મારે છે. તેવી જ રીતે મથુરા અને વૃંદાવનમાં પણ આપણે 15 દિવસ સુધી હોળીનો તહેવાર ઉજવીએ છીએ. હરિયાણાના ધુલંડીમાં ભાભી દ્વાર દિયરને હેરાન કરવાની પ્રથા પ્રચલિત છે. આમ ભારતમાં વિભિન્ન સ્થળોએ હોળીનો તહેવાર સ્થાનિક ૫રં૫રા અનુસાર અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે.૫રંતુ તમામ લોકોની ભાવના તો એક સમાન જ હોય છે.
બીજા અગત્યના નિબંધ:-
હુ આશા રાખુ છુ કે તમને અમારો હોળી પર નિબંધ (holi nibandh gujarati ) લેખ ખુબ જ ગમ્યો હશે. હોળીનો ઇતિહાસ વિશે જાણીને તમને આઘ્યાત્મિક ભાવના જાગી હશે. જેવી રીતે હોળી પર નિબંધ લેખ આ૫ને ગમ્યો છે અમને આશા છે કે તમે અમારા બ્લોગ ૫ર ગુજરાતી નિબંધ ભાગમાંં જઇ અમારા બીજા ગુજરાતી નિબંઘ ૫ણ જરૂર વાંચશો. જો તમે હોળી પર નિબંધ હિન્દીમાં વાંચવા માંગતા હોય અહી કલીક વાંચી શકો છો. જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
અહીં આપ માટે 2025 માટે હોલી વિષે એક સુંદર ગુજરાતી નિબંધ તૈયાર કર્યો છે:
🌈 હોલી – રંગોનો તહેવાર (નિબંધ 2025)
✨ પરિચય:
હોલી ભારતનો પ્રસિદ્ધ અને હર્ષોલ્લાસભર તહેવાર છે. આ તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હોલીનો તહેવાર દુષ્ટ પર સજ્જનના વિજયનું પ્રતિક છે અને તે પ્રેમ, એકતા અને આનંદનો સંદેશ આપે છે.
🔥 હોલિકા દહન:
હોલીનો તહેવાર બે દિવસનો હોય છે. પહેલી રાત્રે હોલિકા દહન થાય છે. ગામના લોકો એકત્રિત થઈ લાકડાં, ગાસાવણા ભેગા કરીને હોલિકા દહન કરે છે. આ પ્રથાના પાછળ પૌરાણિક કથા છે – પ્રહલાદ અને હોલિકા ની. હોલિકા દુષ્ટ હતી અને પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા. હોલિકા દહનમાં પ્રહલાદ બચી ગયા અને હોલિકા દઝી ગઈ – એટલે આ દિવસે અંધકાર પર ઉજાસનો વિજય ઉજવાય છે.
🎉 ધૂળેટી અને રંગોની મજા:
બીજે દિવસે ધૂળેટી હોય છે. લોકો રંગો, ગુલાલ, પાણીથી એકબીજાને રંગે છે. બાળકો પાણીની પિચકારીથી મજા કરે છે. બધાજ મિત્રોને અને રિસાયલાને ભેળવીને ખીલખીલાટ સાથે હોળી ઉજવવામાં આવે છે. તે દિવસે ઘરોમાં ગૂજિયા, ઠંડાઈ, પાપડી જેવા સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો બનાવવામાં આવે છે.
🌍 હોલીનું સામાજિક મહત્વ:
હોલી લોકો વચ્ચે ભાઈચારો વધારતો તહેવાર છે. કોઈ સાથે મનદુ:ખ હોય તો પણ આ દિવસે લોકો મળીને ખુશીઓ વહેંચે છે. હોળી એક બીજાને માફ કરવાની, ભુલાવીને મળવાની સંસ્કૃતિ ધરાવે છે.
📜 નિષ્કર્ષ:
હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ પ્રેમ અને સૌહાર્દનો સંદેશ લાવે છે. આ તહેવાર આપણા જીવનમાં ખુશીઓના રંગ ભરે છે. આપણે હંમેશાં હોલી જેવા તહેવારોને આનંદથી અને શાંતિથી ઉજવવા જોઈએ.
🌸 “રંગોનો તહેવાર છે હોંશનો, પ્રેમ અને આનંદનો સંદેશ આપે છે હોળી.” 🌸
જો તમારે આ નિબંધ PDF ફોર્મેટમાં અથવા શાળાના પ્રોજેક્ટ માટે સુંદર ડિઝાઇન સાથે જોઈએ હોય તો કહો, તૈયાર કરી આપીશ!